.
આપણે જ્યારે પણ
મંદિરમાં જઈએ છીએ (?)
– તો દર્શન કર્યા પછી
* આપણે મંદિરના…
ઓટલે કેમ બેસીએ છીએ (?)
– શું કારણ હશે?
હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે.
હમણાં ફક્ત ઓટલે બેસવાનું ચલણ ચાલી રહ્યું છે પણ હમણાં તે શ્લોક બોલતા નથી.
– અને તે શ્લોક કોઈએ આપણા સુધી પોંહચાડયો નથી ..
– પણ તમે તમારી આવનારી પેઢી ને જરૂર શીખવજો.
ત્યાં બેસીને બોલવાનો શ્લોક 😗 🌸
☆ *“અનાયાસેન મરણમ* ☆
☆ *વિના દૈન્યેન જીવનમ* ☆
☆ *દેહન્તે તવ સાનિધ્યમ* ☆
☆ *દેહિમે પરમેશ્વરમ”* ☆
મંદિર માં જાવો ત્યારે …
– તમારે દર્શન કરવાના હતા, દર્શન ખુલ્લી આંખોથી કરાય, માણસો ત્યાં મન મૂકીને હાથ જોડીને ઉભા રહે.
– જયારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે તો તમે અજાણ્યા ને પણ કહો કે –
– તમે દર્શન કરવા આવ્યા છે તો આંખ ખુલ્લી રાખોને.
– આંખ ખુલ્લી રાખીને હાથ જોડીને દર્શન કરો
– બરોબર દર્શનને યાદ કરી લો.
* દર્શન થઇ ગયા પછી …
– જયારે ઓટલે બેસો તો યાદ કરેલ દર્શનને ધ્યાનમાં લાવો.
– ત્યારે આંખ બંધ કરો.
– ધ્યાન કરો જે દર્શન કરેલ છે –
તે દેખાય છે નથી દેખાતું ?
નાં દેખાય તો પાછા દર્શન કરવા ચાલ્યા જાઓ.
પાછું ઓટલે બેસીને આંખ બંધ કરી ધ્યાનમાં બેસી જાવ.
અને જયારે ધ્યાનમાં એ દર્શન આવે ત્યારે ભગવાન પાસે માંગો કે..
*” હે, ભગવાન..💐👏
*” અનાયાસેન મરણમ “*🌸
એટલે મને તકલીફ વગરનું મરણ આપજો.
*” વિના દૈન્યેન જીવનમ “*🌸
એટલે પરવશતા વગરનું જીવન આપજો
– આજે મને કોઈ પડખું ફેરવે ત્યારે હું પડખું ફેરવી શકું..
– મને કઈ લકવો મારી જાય
અથવા
– મને કોઈ ખાવાનું ખવડાવે ત્યારે ખાઈ શકું
– એવું જીવન નાં જોઈએ ભગવાન,
*” દેહાન્તે તવ સાનિધ્યમ “*🌸
એટલે મરતા હોય ત્યારે તમારું દર્શન થવું જોઈએ
– જેમ ભીષ્મ ને થયેલું તેમ.
આ ત્રણ વસ્તુ મને આપો આ માંગણી નથી
– આ યાચના નથી
– આ પ્રાર્થના છે.
‘પ્ર + અર્થના” , અર્થના એટલે માંગણી યાચના
– પણ *પ્ર* એટલે પ્રકૃષ્ટ
– આ પ્રકૃષ્ટઅર્થના છે.
– અને આ વાડી, ગાડી, દીકરો, દીકરી, પતિ, પત્ની, ઘર, પૈસા આવું કઈ નથી માગ્યું ..
– પણ આ ત્રણ શ્રેષ્ઠ માંગણી કરી છે.
આ આપણે મંદિરમાં દર્શન કરીએ પછી ઓટલે બેસી ને પછીબોલવાનું.
– ફક્ત બેસી રહેવાનું નથી.
એટલા માટે મંદિરમાં જવાનું અગત્યનું છે
– જેથી આપણે પાછા આવતા સમયે ભગવાન પાસે આવી *પ્રાર્થના કરી શકીએ.!🙏
Jay mahadev Har
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻